અમારો ઉદ્દેશ્ય-અમારી ભાવના
સ્વામી કમલેશાનંદજીની સાથે સત્સંગ વિષય નિર્દેશ મુમુક્ષુઓ આત્માંર્થીઓ અમારી ભાવના છે કે :
  1. વીતરાગ ધર્મ - આધ્યાત્મ વિજ્ઞાનની વૈજ્ઞાનિક સમજ લોકોમાં ખુલ્લી કરવી.
  2. કોઈ નવો ધર્મ કે સંપ્રદાયની સ્થાપના નહિ, કિંતુ  જે ધર્મ ય સંપ્રદાયમાં આપની માન્યતા છે એની સાચી સમજ ખુલ્લી કરવી.
  3. વીતરાગ ધર્મના પ્રવર્તમાન તમામ સંપ્રદાયોના રીત-રીવાજ અલગ હોવા છતાં તેની પાછળ રહેલી મુખ્ય સમજ પ્રકાશિત કરવી.
  4. વીતરાગ ધર્મના અનુયાયી પોતાની ક્રિયાઓ અને રીવાજોમાં દ્રઢ થઇ રહ્યા છે, પરંતુ તેની પાછળ રહેલ મુખ્ય તથ્યો - મર્મ - રહસ્ય નથી જાણતા તેને પ્રકાશિત કરવું.
  5. વીતરાગોએ કહેલ ક્રિયાઓનું અનુસરણ શુભ છે પરંતુ એમના હૃદયમાં (એનો આશય-મર્મ) શું છે તે પ્રકાશિત કરવું.
  6. બધી ધાર્મિક ક્રિયાઓની પાછળ રહેલ પુણ્ય પાપ ઉપાર્જનનો હેતુ પ્રકાશિત કરવો.
  7. ધર્મ કોઈ ક્રિયા નથી પરંતુ સાચી સમજનું નામ છે.
  8. તીર્થંકરના જીવનમાં એમની દ્રષ્ટિ (સમ્યક દ્રષ્ટિ) નું મહત્વ શું છે ? જેના આધાર પર તેઓએ મુક્તિ પ્રાપ્ત કરી તેને ખુલ્લું કરવું.
  9. મનુષ્ય જીવન મળ્યું છે તેનો મુળ ઉદ્દેશ શું હોવો જોઈએ.
  10. શું મનુષ્ય પોતાની વ્યવહારિક, સામાજિક ફરજ નિભાવતાં પણ ધર્મમય જીવન જીવી શકે છે ? એવી કઈ સમજ છે. દ્રષ્ટિ છે તેના આધારે જીવ સંસારમાં રહેવા છતાં મુક્તિ અનુભવી શકે - મોક્ષ મેળવી શકે છે.
  11. મોક્ષ-માર્ગ અતિ કઠીન છે - સાધારણ વ્યક્તિનું ગજું નથી ય ભગવાનનો માર્ગ બધાને માટે સરળ-સુગમ છે.
  12. જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થવું સંભવ છે.
  13. મનુષ્ય જન્મમાં આવ્યા પછી કારમાં કેવી રીતે બંધાય છે. કેવી રીતે છૂટે છે અને કેવી રીતે નવા કારમાં ના બંધાય તેનો સરળ અને સાચો ઉપાય શું છે ?
  14. શું જીવ સત્તા, સંપત્તિ, શરીર યા ભૌતિક સાધનોથી કાયમી સુખ પ્રાપ્ત કરી શકે છે ?
  15. શું આપણે પરિવાર, સામાજિક સંભંધ અને મોહમાયાના સંબંધોથી બંધાયા છીએ કે અજ્ઞાનથી.
  16. વીતરાગ ભગવંત સંસારમાં રહેવા છતાં, રાજપાટ ચલાવતા છતાં, લગ્ન કરવા છતાં, યુધ્ધ કરવા છતાં મોક્ષ પ્રાપ્ત કરે છે એ સમભાવ છે તો કેવી રીતે .
  17. જીવનમાં સુખ દુ:ખનું કારણ શું છે ? અને તેનાથી મુક્ત કેવી રીતે થવાય ?
  18. વ્યવહારિક ધર્મ અને ગુરુ તથા સાચો ધર્મ અને ગુરુની ઓળખાણ શું ?
  19. ભગવાન કોને કહેવાય ? ધર્મ કોને કહેવાય ? મોક્ષ એટલે શું ? મુક્તિ શા માટે પ્રાપ્ત કરવી જોઈએ.
  20. યુવા પેઢી ધર્મથી વિમુખ કેમ થઇ રહી છે, કેમ કે આપણી પાસે એમને આપવા માટે વૈજ્ઞાનિક સમજ અને વૈજ્ઞાનિક ઉત્તર નથી તેમને સાચી સમજ આપવાની જરૂર છે.
  21. ધર્મ અને ધાર્મિક ક્રિયાઓ બોજારૂપ કેમ લાગે છે એમાં રસ-આનંદ કેમ નથી આવતો ?
  22. શું આપણે વીતરાગોના માર્ગ ઉપર ચાલી રહ્યા છીએ ?
  23. વીતરાગ માર્ગમાં પ્રવેશી ગયેલ કુરીતિ-ભેદ-ભાવ, રૂઢી, ખોટી માન્યતાઓ દુર કરી જેવો વીતરાગોના હૃદયમાં ધર્મ-મર્મ આશય હતો તેવો મુળધર્મ અને તેના સિદ્ધાંતો પુન: સ્થાપિત કરવા.
  24. ધર્મ જીવનમાં સુખ અને શાંતિ વધારે છે તો અપને જે ધર્મ કરીએ છીએ તેનું એવું પરિણામ કેમ નથી આવતું. ભૂલ ક્યાં છે તે પ્રકાશિત કરવી.
  25. ધર્મ કરવાથી ક્રોધ-માન-માયા-લોભ ઘટવા જોઈએ શું આપના જીવનમાં આવું થઇ રહ્યું છે ? શું આપણે સાચા માર્ગ ઉપર છીએ ? શું કષ્ટ ભોગવવાથી સુખ પ્રાપ્ત થઇ શકે ?
  26. ગૃહસ્થ કોણ ? સંયમી કોણ ?
  27. પુરુષાર્થ કરવો જોઈએ પણ પુરુષાર્થ કોને કહેવાય ? જીવનમાં ક્યાં ભાગમાં આપણી સત્તા છે ? અને કયો ભાગ કર્મને આધીન છે અર્થાત પુરુષાર્થ કોને કહેવાય ?

Archive

New visitor playlist ID

PLgCz1DwPQkf6QxrmyIXVRrMi2C2UNfdO1

Status playlist ID

PLgCz1DwPQkf5bX1KlkPcgsZvSGEgEBzTM

Satsang playlist ID

PLgCz1DwPQkf6EHarGa0zvZSDGrulqxJb_